GUJARAT : રાજ્યમાં 24 જુલાઈએ 2.96 લાખ નાગરિકોનું રસીકરણ થયું, કુલ 3.13 કરોડ ડોઝનું રસીકરણ થયું
રાજ્યમાં 24 જુલાઈએ 2.96 લાખ નાગરિકોના રસીકરણ સાથે અત્યાર સુધીમાં કુલ 3,13,07,617 એટલે કે 3 કરોડ 13 લાખથી વધુ ડોઝનું રસીકરણ થયું છે.
GUJARAT : રાજ્યમાં કોરોના રસીકરણની પ્રક્રિયાએ ફરી વેગ પકડ્યો છે. 24 જુલાઈએ રાજ્યમાં 2,96,092 લોકોનું રસીકરણ કરાયું. સૌથી વધુ 18-44 વર્ષના 1,54,865 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 22,543 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી વધુ ઉમરના લોકોના રસીકરણન વાત કરીએ તો 49,633 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 57,948 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડા જોઈએ તો અમદાવાદમાં 38, 967 લોકોને રસી અપાઇ, તો સુરતમાં 34,506 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે વડોદરામાં 27,194 લોકોને રસી અપાઇ, રાજકોટમાં 17, 825 લોકોએ રસી મુકાવી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 13 લાખ 7 હજાર લોકો કોરોના વિરોધી રસી મુકાવી ચૂક્યા છે.
રાજ્યમાં 24 જુલાઈએ 2.96 લાખ નાગરિકોના રસીકરણ સાથે અત્યાર સુધીમાં કુલ 3,13,07,617 એટલે કે 3 કરોડ 13 લાખથી વધુ ડોઝનું રસીકરણ થયું છે.