PSI ભરતી પ્રક્રિયા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકારનું નિવેદન, ”26 મેના રોજ મુખ્ય પરીક્ષા નહીં યોજાય”

અરજદારોએ (Applicants) દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની હાઇકોર્ટમાં (High Court) ફરિયાદ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 6:04 PM

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પીએસઆઈની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્ય સરકારે (State Government) મોટું નિવેદન આપ્યું છે. હાઈકોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું કે ફિઝિકલ અને મેઈન પરીક્ષાની તારીખો હજુ સુધી નક્કી કરાઈ નથી. 26 મેના રોજ મેઈન પરીક્ષા યોજાશે તેવી અરજદારની (Applicant) ધારણા હાલ સાચી નથી. આ સાથે અરજદારોએ પણ કોર્ટમાં રજૂઆત કરી કે જો પરીક્ષા યોજાવાની ન હોય તો આ કેસ વેકેશન બાદ સાંભળવામાં આવે તો પણ અરજદારોને વાંધો નથી.

અરજદારોએ દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોવાની તેમાં રજુઆત કરવામાં આવી છે. ત્યારે આ કેસને લઈને રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે મેરીટ ક્રમાંકમાં 3 ગણા ઉમેદવારો બોલાવવાની અરજદારોની માંગણીઓ પર 18મી સુધીમાં જવાબ રજૂ કરવામાં આવશે. જે બાદ કોર્ટે સરકારને 18 મે સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 18 મેના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC, OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ તેવી અરજદારોની રજુઆત છે. પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટવાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઈ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ અરજદારોએ રજુઆત કરી છે. ત્યારે સમગ્ર મામલે હવે 18 મેના રોજ સુનાવણી હાથ ધરાશે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">