Gandhinagar : રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય, જુઓ Video

Gandhinagar : રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 4:23 PM

મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે 4 હજાર 565 MCFT અને સિંચાઈ માટે 26 હજાર 136 MCFT મળીને કુલ 30 હજાર 801 MCFT પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Gandhinagar : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) ખેડૂતો (Farmers)માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી છોડવામાં આવશે. 15 માર્ચ 2024 સુધી પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાનમાં લઈને પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચો-Ahmedabad: લાઉડ સ્પીકર વગાડવા માટે સાઉન્ડ સીસ્ટમ લિમિટર લગાવવું જરુરી, જેના વિના નહીં મળે મંજૂરી

મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે 4 હજાર 565 MCFT અને સિંચાઈ માટે 26 હજાર 136 MCFT મળીને કુલ 30 હજાર 801 MCFT પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો