Gir somnath : પવિત્ર શ્રાવણ માસને લઇને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં તૈયારીઓ પૂર્ણ
સોમવારથી અતિ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે કોરોનાપ્રુફ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Gir somnath : સોમવારથી અતિ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે કોરોનાપ્રુફ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન સ્લોટ બુક કરવાની વ્યવસ્થા અમલમાં રખાઇ છે. સોમનાથ મંદિર શ્રાવણમાં સવારે સાડા પાંચ વાગ્યે ખોલવામાં આવશે. જોકે સોમનાથ મંદિરમાં થતી ત્રણ આરતીઓમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવામાં આવે. મહત્વનું છે કે, પાંચેય સોમવાર અને તહેવારોના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યાથી દર્શન માટે ખોલવામાં આવશે, જે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે.