Gir somnath: નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીનનો વિવાદ, જમીન પચાવી પાડનારા શખ્સની કરાઈ ધરપકડ

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 6:43 PM

Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની (Narasimha Temple Trust) જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે જ્યારે આ શખ્સને જમીન ખાલી કરવાનું કહ્યું ત્યારે તેણે મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જામનગર પોલીસે જમીન પચાવી પાડનારા શખ્સ સામે કાર્યવાહી કરી છે. જામનગર પોલીસે વરજાંગ સોલંકી નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

સરકારી ગૌચર જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

ગીર સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડાના આણંદપુર ગામે એ.એસ.પી ઓમપ્રકાશ જાટે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તો રાજુલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં લાઇમ સ્ટોન સપ્લાયનો આરોપ લાગ્યો છે. ખનીજ ચોરી અંગે માહિતી આપી એસીપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ટ્રક ડ્રાઈવરની પૂછપરછમાં ખુલાસો થયો કે, ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદરના રમેશ છાત્રોડીયા આ રેકેટ ચલાવે છે. આ બંને જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો મારફતે ખનીજ વિવિધ કંપનીઓમાં મોકલતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગેને જાણ કરી છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">