Gandhinagar: કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, પરિવારે ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આક્ષેપ

મહિલાના મોત બાદ સ્થિતિ ગંભીર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. હાલ તો દહેગામ પોલીસે  (Police) અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:55 AM

ગાંધીનગર  (Gandhinagar) જિલ્લામાં આવેલા દહેગામમાં (Dehgam) સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલાનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.  ગત રોજ સવારે 29 વર્ષીય સંગીતાબેન અમિતકુમાર ઝાલાને કુટુંબ નિયોજનના ઓપરેશન  (Family planning Operation) માટે દાખલ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન જ મહિલાનું મોત થયું હતું. ત્યારબાદ મહિલાના પરિવારે ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ લગાડ્યો હતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી.

એક સમયે તંગદિલીનો માહોલ સર્જાતા દહેગામ પોલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ દોડી ગઈ હતી. મહિલાને ઓપરેશન અર્થે દાખલ કરવામાં આવી હતી, બાદમાં તબીબોએ મહિલાની તબિયત લથડી હોવાનું જણાવી મહિલાની મોતના સમાચાર આપ્યા હતા. સમગ્ર મામલે પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આરોપ લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો.  મહિલાના મોત બાદ સ્થિતિ ગંભીર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. હાલ તો દહેગામ પોલીસે  (Police) અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">