Gandhinagar: નેશનલ હાઇવે ઓથોરિટીના GM રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં દરોડો પાડીને જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:48 PM

ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં દરોડો પાડીને જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા. સીબીઆઇ(CBI) ગાંધીનગર સ્થિત નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં શુક્રવારે સવારે બાતમીને આધારે દરોડો પાડીને નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખ લાંચ લેવાના કેસમાં ઝડપી લીધા હતા. જેમાં જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ટી. પી. સિંહ તેમન ધોલેરા-અમદાવાદ અને અન્ય કામના બીલો સહિતના ઝડપી નિકાલના બદલામાં લાંચની રકમ આપવા આવ્યા હતા. સીબીઆઇએ આ અંગે કુલ આઠ લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ સાથે દિગ્વિજય મિશ્રાના નિવાસ સ્થાનેથી તપાસ દરમિયાન 20 લાખની રોકડ પણ મળી આવી હતી. જે અંગે સીબીઆઇની એસીબીની વીંગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સીબીઆઇની એસીબીની  વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે ઓથોરિટીના ચિફ જનરલ મેનેજર રીજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા કેટલીક કંપનીના પ્રતિનિધીઓ સાથે મળીને હાઇવેની કામગીરીને લગતા બિલોટેન્ડર, ક્લિયરન્સ સર્ટીફિકેટ આપવાના બદલામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર કરે છે. જેમાં તે તેમની ગાંધીનગર સેક્ટર-11 ખાતે આવેલી ઓફિસ તેમજ કુડાસણ  ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને નિયમિત બેઠકો યોજે છે. જેમાં  તેઓ મુંબઇના  અંધેરી ખાતે આવેલી જીએચવી પ્રાઇવેટ લીમીટેડ કંપનીને મળેલા કોન્ટ્રાક્ટની કામગીરીના બદલામાં નાણાંકીય દેવડ કરવાના હતા.

CBIની અન્ય અધિકારીઓ માટે પણ લાલ આંખ

તો બીજી તરફ  ગુજરાત  કેડરના આઇએએસ અધિકારી કે. રાજેશની(K. Rajesh)  ભ્રષ્ટ્રાચારના કેસમાં સીબીઆઇએ(CBI) ધરપકડ કર્યા બાદ ગત રોજ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સીબીઆઈએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઇએ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જો કે અદાલતે કે. રાજેશના સોમવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત સીબીઆઇના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે કે.રાજેશ અને તેમના પરિવારના દેશની વિવિધ બેંકમાં ખાતા છે. જ્યારે કે. રાજેશે અદાલતમાં બચાવમાં રજૂઆત કરી હતી.

 

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">