Rajkot: વિજય રૂપાણી સંઘ કાર્યાલય પહોંચ્યા, ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે ભૈયાજી જોષી સાથે બેઠક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં સંઘ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. સંઘ કાર્યાલય ખાતે વિજય રૂપાણી સંઘના પૂર્વ સંઘસંચાલક ભૈયાજી જોષી સાથે બેઠક કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:45 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે.આજે વિજય રૂપાણીએ રજપૂતપરા ખાતે ડો.હેડગેવાર ભવન સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી ભૈયાજી જોષી ખાતે મુલાકાત કરી હતી.બંન્નેએ ૪૫ મિનીટ સુધી બંધ બારણે મુલાકાત કરી હતી.આ મુલાકાતને વિજય રૂપાણીએ અનઔપચારિક ગણાવી હતી. અને કોઇ રાજકીય ચર્ચા ન થઇ હોવાનો દાવો કર્યો હતો.

ભૈયાજી સાથે જૂની વાતો વાગોળી,કોઇ રાજકીય ચર્ચા ન હતી-રૂપાણી

બેઠક પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે આજની બેઠક માત્ર શુભેચ્છા મુલાકાત હતી. કોઇ રાજકીય ચર્ચા થઇ નથી. ભૈયાજી જોષી ગુજરાતની રાજકીય સ્થિતિથી વાકેફ છે માટે અન્ય કોઇ ચર્ચા કરવામાં આવી નથી. ઘણાં લાંબા સમયથી મુલાકાત થઇ ન હતી. જેથી આજે નિરાંતની પળોમાં વાતો કરી હતી.

વિજય રૂપાણી સંઘના સારા કાર્યકર,મહેનતું નેતા-ભૈયાજી જોષી

આ અંગે ભૈયાજી જોષીએ કહ્યું હતું કે વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત હતી.હું જ્યારે જ્યારે રાજકોટની મુલાકાતે આવું છું. ત્યારે વિજય રૂપાણી મને મળવા આવે છે.વિજય રૂપાણીએ સ્વેચ્છાએ રાજીનામૂં આપ્યું છે.સંઘના કાર્યકરથી થઇને મુખ્યમંત્રી સુધી સારી રીતે કામગીરી કરી છે. જે આવકારદાયક છે.

નવી જવાબદારી અંગે સેવ્યું મૌન
સામાન્ય રીતે ભાજપમાં મોટી જવાબદારીમાં સંઘની દખલગીરી હોય છે અને તેનું મંતવ્ય લેવામાં આવતું હોય છે,પૂર્વ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જ્યારે ભૈયાજી જોષીને વિજય રૂપાણીની નવી જવાબદારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવ્યું હતુ અને આ જવાબદારી પક્ષ અને સંગઠન આપશે તેવો દાવો કર્યો હતો.મારી જવાબદારી સંઘમાં નિમણૂંકની છે.

 

 

 

આ પણ વાંચો: Surendranagar: જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં, NOC ન હોવાના કારણે 7 શાળા પર કરી આ કાર્યવાહી

આ પણ વાંચો: Surat: મજુરાનો તલાટી લાંચ લેતા ઝડપાયો, પેઢીનામું કરવા આટલા હજારની માંગી હતી લાંચ

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">