રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ”

વિજય રૂપાણીએ કહ્યું, "પદ છોડવું અઘરૂ હોય છે, પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું."

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:54 PM

RAJKOT : મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રથમ સંબોધન કર્યું અને કહ્યું
“હું CM હતો અને CM રહીશ” પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંબોધન દરમિયાન કાર્યકરો ભાવૂક થયા હતા.
તેમણે કહ્યું અનેક એવા કાર્યકર્તાઓ, જેમને કાંઈ મળ્યું નહીં પરંતુ પક્ષ માટે કામ કરે છે.વિજય રૂપાણીએ કહ્યું, “પદ છોડવું અઘરૂ હોય છે, પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું.” તેમણે કહ્યું રાજકોટ માટે શક્ય હોય તેટલું કામ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે આજી ડેમ ક્યારેય ખાલી નહીં રહે.

રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ, CM એટલે કોમન મેન”. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું આ નિવેદન ઘણું જ સૂચક છે. ગુજરાતના રાજકારણમાં ત્યારે ભૂકંપ આવ્યો જયારે સરકાર અને સંગઠનમાં સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યાં અને અચાનક વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું હતું. જો કે વિજય રૂપાણી માટે આ સહજ હતું, માટે જ નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણ બાદ અને રાજકોટ પહોચ્યા બાદ તેઓના મુખ પર જરા પણ દુઃખની લાગણી દેખાતી નહતી. પણ આજનું રાજકોટમાં તેમનું સંબોધન ઘણું કહી જાય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામુ આપ્યા બાદ ગઈકાલે 16 સપ્ટેમ્બરે પહેલી વખત પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા.તેમના નિવાસ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ સ્વાગત કર્યુ હતું.પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન પણ હતા. આ તબક્કે તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, “મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું.ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે.”

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">