Banaskantha : ચાઈનીઝ દોરી વેચવાના કેસમાં ભાજપ અગ્રણી વિરૂદ્ધ FIR દાખલ, 48 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર

Banaskantha News : અશોક મહેશ્વરી પાલનપુર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના પતિ છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ચાઈનીઝ દોરી મુદ્દે તેમના વિરૂદ્ધ FIR દાખલ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 9:43 AM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચાઈનીઝ દોરી વેચવાના કેસમાં ભાજપ આગેવાન અશોક મહેશ્વરી 48 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર છે. પાલનપુર પૂર્વ પોલીસની ટીમ અશોક મહેશ્વરીની શોધખોળ કરી રહી છે. ગઈકાલે પાલનપુર પૂર્વ પોલીસે એક ટીમ બનાવીને અશોક મહેશ્વરીની શોધખોળ હાથ ધરી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ચાઈનીઝ દોરી મુદ્દે ભાજપ અગ્રણી વિરૂદ્ધ FIR દાખલ થયેલી છે. ભાજપ અગ્રણી અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના પતિ અશોક મહેશ્વરી સામે FIR દાખલ થઈ છે.

અશોક મહેશ્વરી પાલનપુર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના પતિ છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ચાઈનીઝ દોરી મુદ્દે તેમના વિરૂદ્ધ FIR દાખલ થઈ છે. ભાજપ અગ્રણી અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના પતિ પણ છે. સાથે જ તેઓ પાલનપુરમાં વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છે. અશોક મહેશ્વરી ચાઇનીઝ દોરી વેચી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. અશોક મહેશ્વરી પોતાની દુકાનમાં જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો.પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ થયા બાદ તે ફરાર થયો છે. પોલીસે તેની સઘન તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે પાલનપુરમાં ચાઈનીઝ દોરી લઈ જતા બે વ્યક્તિને પોલીસે ઝડપી લીધા હતા હતી. પોલીસે 15 ચાઈનીઝ ફિરકી સહિત 3000 રૂપિયાની ચાઈનીઝ દોરી સહિત બંને આરોપીને ઝડપી લીધા હતા. તેમજ જ્યાંથી દોરી ખરીદી કરવામાં આવી હતી તે માલિક સામે પણ ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને વ્યક્તિની પૂછપરછ કરતા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના પતિ અને ભાજપ આગેવાન અશોક મહેશ્વરીનું નામ સામે આવ્યુ હતુ.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">