AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દારુ વેચવા અને પીવા પર અનાજની બોરીનો દંડ, પઠામડા ગ્રામજનોએ કર્યો નિર્ણય

દારુ વેચવા અને પીવા પર અનાજની બોરીનો દંડ, પઠામડા ગ્રામજનોએ કર્યો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2024 | 5:54 PM
Share

દારુબંધી માટે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં દંડની જોગવાઈ રોકડમાં નહીં પણ અનાજની બોરીની કરવામાં આવી છે. ગામના લોકોએ એકઠા થઈને દારુને લઈ સર્જાતી સમસ્યાઓથી તંગ આવી જઈને ગામના લોકોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે. જેમાં ગામના લોકોએ દારુ વેચનાર, પીનાર અને તેના અંગે માહિતી જાણતો હોવા છતાં છૂપાવનાર સામે અનાજની બોરીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

આમ તો હાલમાં દારુબંધીને લઈ ગુજરાત ભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ બનાસકાંઠાના થરાદ તાલુકાના એક ગામના લોકો દારુની બદીથી પરેશાન થઈ ગયા છે. જેને લઈ ગામના લોકોએ એકઠા થઈને દારુબંધીનો અમલ કરાવવા માટે થઈને સરાહનીય નિર્ણય કર્યો છે. જેમાં દારુ વેચનાર, દારુ પીનાર અને દારુ અંગેની માહિતી છૂપાવનારા સામે દંડની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

જે મુજબ દારુ વેચનાર સામે 5 બોરી અનાજનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે દારુ પીનાર અને દારુ અંગેની માહિતીને જાણીને પણ છૂપાવનારને માટે 2-2 બોરીના દંડની જોગવાઈ નક્કી કરવામાં આવી છે. ગામમાં દારુને લઈ પરેશાનીઓ ઉભી થવાને લઈ ગામના લોકોએ એકઠા થઈને આ નિર્ણય કર્યો છે. જેની ગ્રામજનો જ કડક અમલવારી કરાવનાર છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">