GIR SOMNATH : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને જીવનદાન મળ્યું

ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 1:58 PM

GIR SOMNATH : રાજ્ય વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં આજે 1 સપ્ટેમ્બરના દિવસે વહેલી સવારથી મેઘમહેર થઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડા, માં ગઈકાલ રાતથી અને વહેલી સાવરથી વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે તાલાળા અને ગડુને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

તાલાલા તાલુકાના જેપુર-ઘણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. આંબાખોય નદી આગળ જતાં હીરણ નદીમાં ભળી જાય છે. ગીરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા હતા.
તો તાલાલા તાલુકાના આંબળાસ ગામે અને ગીર જંગલ તેમજ ગીર નજીકના ગામોમાં ધોધમાર વરસાદથી ગીરના વોકળા સજીવન થયા છે. ચાલુ વર્ષે પ્રથમવાર વોકળામાં પાણી આવ્યા છે. આંબળાસ અને ભેરાળા ગામે રસ્તા પર નદી વહી હોઈ તેવા દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના પગલે ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

તાલાલા ગીરના ધાવા ગામે શેરીઓ નદી બની હતી. ભારે વરસાદને કારણે પાણીનો ધોધ વહેતો થયો હતો. તો વેરાવળના ઈણાજ ગામે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદી સમાન બન્યા હતા. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 1 ઈચ, ગીરગઢડામાં 2, સૂત્રાપાડામાં અને તાલાલામાં 1.5 ઈચ, કોડીનાર અને ઉનામાં અડધો ઇંચ અને ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : MOSNOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">