આણંદમાં નકલી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 2.46 લાખનો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત

આણંદમાં નકલી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 2.46 લાખનો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત

| Edited By: | Updated on: Oct 29, 2023 | 5:53 PM

આણંદ માંથી LCBએ બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. LCB એ 2.46 લાખનો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. મહત્વનુ છે કે નીમ કોટેડ યુરિયા જેમાં લીમડાના તેલને યુરિયા પર કોટેડ કરવામાં આવે છે. યુરિયા પર નીમ કોટિંગ નાઈટ્રિફિકેશન અવરોધક તરીકે કામ કરે છે.

આણંદ LCBએ બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદ્યાનગર GIDCમાં આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું. LCB પોલીસે 116 ખાતરની થેલીઓ ઝડપી પાડી હતી. નાયબ ખેતી નિયામકે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાનગર GIDCની એગ્રોફીલ ઇન્ડસ્ટ્રીઝ અને અમદાવાદની ટ્રુમાર્ક કોર્પોરેશનના જવાબદારો સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : આણંદમાં કોન્સ્ટેબલે અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ઘડ્યો પ્લાન, 2 મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે કરી અટકાયત

LCB એ 2.46 લાખનો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. નીમ કોટેડ યુરિયા જેમાં લીમડાના તેલને યુરિયા પર કોટેડ કરવામાં આવે છે. યુરિયા પર નીમ કોટિંગ નાઈટ્રિફિકેશન અવરોધક તરીકે કામ કરે છે. નીમ કોટેડ યુરિયા ધીમે ધીમે ફેલાય છે, જેના કારણે પાકની જરૂરિયાત મુજબ નાઈટ્રોજન પોષક તત્વો મળી રહે છે અને પાકનું ઉત્પાદન વધે છે. નીમ કોટેડ યુરિયાનો સામાન્ય યુરિયા કરતાં અંદાજે 10% ઓછો વપરાશ કરવાની જરૂર પડે છે. તેથી યુરિયાની 10% બચત થાય છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 05:53 PM