Gandhinagar : પૂર્વ સૈનિકોના આંદોલનનો આવ્યો અંત, માજી સૈનિકોના 14 મુદ્દાને લઈ ખાસ કમિટી તૈયાર કરાઈ

સરકારે પૂર્વસૈનિકોના (ex-servicemen) પ્રશ્નોનું નિરાકરણ લાવવા 5 સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 2:10 PM

ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા પૂર્વ સૈનિકોના (EX ARMYMEN) આંદોલનનો આખરે અંત આવ્યો છે. સરકારે પૂર્વ સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા 5 સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ સરકાર નિર્ણય કરશે. પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના (Ex-Servicemen Foundation) પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે- ભૂતકાળમાં સરકારે ક્યારેય લેખિત બાંહેધરી નહોતી આપી. પરંતુ આ વખતે લેખિતિમાં બાંહેધરી આપી હોવાથી વિશ્વાસ છે કે જલ્દી જ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. તેમણે કહ્યું કે- જો સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ભવિષ્યમાં ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

એસ.ટી વિભાગના કર્મચારીઓની હડતાળ પણ સમેટાઇ

બીજી તરફ એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું આજરોજ સુખદ સમાધાન થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મે7 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 25 વર્ષ જેટલી જૂની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કરતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ પે અને ભથ્થામાં વધારો કરવા સહિતની માગણીઓ સંતોષાતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઇ છે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">