દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો

પર્યાવરણ પ્રેમીએ દરિયા કિનારે કાચની બોટલો સહિતનો કચરો એકઠો કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો.તેમજ દરિયામાં બોટલો અને પ્લાસ્ટિક ન નાખીને દરિયાને પ્રદૂષણ મુક્ત રાખવાની કરી અપીલ કરી.

દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો
Environmentalists hold cleaning drive on beaches of Diu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 5:43 PM

DIU : દીવના દરિયા કિનારે પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. દિવમાં ટુરિસ્ટો દારૂ-બીયરની ખાલી બોટલો દરિયામાં નાખી દે છે. જેથી દરિયાકિનારે કાચની દારૂની બોટલોથી અનેકવાર માછીમારો ગંભીર રીતે ઘાયલ થાય છે.ત્યારે પર્યાવરણ પ્રેમીએ દરિયા કિનારે કાચની બોટલો સહિતનો કચરો એકઠો કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો.તેમજ દરિયામાં બોટલો અને પ્લાસ્ટિક ન નાખીને દરિયાને પ્રદૂષણ મુક્ત રાખવાની કરી અપીલ કરી.

આ સફાઈ અભિયાન અંગે પર્યાવરણ પ્રેમી ભરત કામલીયાએ કહ્યું કે અમાસના દિવસે જેમ જેમ દરિયાનું પાણી ઉતરશે તેમ તેમ દરિયાના પટમાંથી એક ટ્રક ભરાય એટલી દારૂની ખાલી બોટલો મળી આવશે. તેમણે કહ્યું પ્રશાસને અને સરકારે કડક પગલા લેવા જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું આ અંગે કાયદા ઘડવા જોઈએ અને નિયમો અંતર્ગત દંડની જોગવાઈઓ કરવી પડે. તેમણે કહ્યું આ બોટલો 200 વર્ષ સુધી દરિયાને પ્રદુષિત કરતી રહે છે જેને કારણે માછલા સહીતની દરિયાઈ જીવસૃષ્ટિને અસર થાય છે. તેમણે કહ્યું પર્યાવરણથી લઈને સમાજ માટે આ નુકસાનકારક છે.

આ અંગે સ્થાનિક માછીમાર કૈલાશ જેરાજે કહ્યું કે પ્રશસન દરિયાની બહારના ભાગે સફાઈ અભિયાન કરે છે, પણ દરિયાના પટમાં સફાઈ નથી કરવામાં આવતી. દારૂની ખાલી કાચની બોટલો તૂટી જવાથી અણીદાર બની જાય છે અને માછીમારોને પગમાં વાગે છે. તેમની માંગણી છે કે પ્રશાસન દરિયાના પટમાં પણ સફાઈ કરે, જેથી કરીને માછીમારોને કે તેમના પરિવારને તકલીફ ન થાય.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ પણ વાંચો : ભાવનગરમાં રોગચાળો વકર્યો, મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">