Vadodara: બે માસથી ધરાશાયી થયેલા વીજ પોલ હજુ ત્યાં ને ત્યાં જ, સિંચાઈ માટે વીજળી ન મળતા ખેડૂતોને પાક નષ્ટ જવાની દહેશત

વડોદરાના (Vadodara) ડભોઈ તાલુકાના શંકરપુરા ગામના ખેતરોમાં ઠેક-ઠેકાણે વીજ પોલ ધરાશાયી થયા છે. વીજપોલ (Electricity pole) ધરાશાયી થતા ખેતરોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 4:09 PM

વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલા ખેતરોમાં મોટાભાગના વીજ થાંભલા ( Electricity pole) છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી ધરાશાયી થયેલા છે. જો કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તેને પૂર્વવત કરવાની કોઇ કામગીરી કરવામાં આવી નથી. એક તરફ સરકારે ખેડૂતોને (Farmers) વીજળી આપવા અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ તમામ યોજનાઓ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ ઉદભવી છે. ખેડૂતોના કૂવા ઉપર વીજ પ્રવાહ ખોટકાતા હાલ લાખો રૂપિયાનું બિયારણ નષ્ટ થવાને આરે છે.

ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ

વડોદરાના ડભોઈ તાલુકાના શંકરપુરા ગામના ખેતરોમાં ઠેક-ઠેકાણે વીજ પોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા ખેતરોમાં વીજપુરવઠો ખોરવાયો છે. છેલ્લા બે માસથી આ સમસ્યાનો સામનો કરતા ખેડૂતોએ અનેક વખત વીજ વિભાગને રજૂઆત કરી છે. ખેતરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં કુવામાંથી પાણી ખેંચીને પાકને સિંચાઈની કામગીરી પણ અટકી છે. આ વિસ્તારમાં આશરે 1500 વિઘામાં વાવેલા પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે. કપાસ, તુવેર સહિતના પાકના નષ્ટ થવાને આરે છે.

ખેડૂતોમાં ભારે રોષ

જુદા જુદા કૂવા પર વીજળીના અભાવને પગલે ખેડૂતો હાલ પાણી લઇ શકતા નથી, ત્યારે ગુજરાત સરકાર ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની ઉજવણી કરી ખેડૂતોને વિવિધ યોજના અપાઈ રહી હોવાના પોકળ દાવા કરી રહ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના આ વલણને લઈ શંકરપુરા ગામના ખેડૂતો ભારે રોષે ભરાયા છે. વીજ પુરવઠો શરૂ કરવા અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વીજ વિભાગના વાહનો ખેતરો સુધી પહોંચી શકતા નથી. તેના લીધે કામગીરી અટકેલી છે. હવે જોવાનું રહ્યું કે વીજ તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">