Dwarka : ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવાશે

જગત મંદિર દ્વારકામાં(Dwarka) દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં આવશે. 

| Updated on: Aug 19, 2022 | 9:51 PM

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી(Janmashtmi 2022)  ઉજવણીને લઈ માત્ર જગતમંદિર જ નહી,, પરંતુ પુરી દ્વારકા નગરીને શણગારાઈ છે. દુર-દુરથી કૃષ્ણભક્તો દ્વારકામાં આવી પહોંચ્યા છે,,, જગત મંદિરમાં દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ શકશે. જન્માષ્ટમી પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી. જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરાઈ.

સવારે 10 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાયો. 11 વાગ્યે પ્રભુની શ્રૃંગાર આરતી થઈ. હવે બપોરે 12 વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જેમાં સાંજે 5 વાગ્યે ભાવિકભક્તો ઉત્થાપન દર્શનનો લાભ લઇ શકશે. તો 5 વાગ્યાથી 5-45 વાગ્યા દરમ્યાન ઉત્થાપનભોગ, 7 થી 7-30 દરમ્યાન સંધ્યા ભોગ અને સાંજે 7-30 વાગ્યે સંધ્યા આરતીના દર્શન થઇ શકશે. રાત્રે 8 વાગ્યે શયનભોગ અને 8-30 વાગ્યે શયન આરતી થશે. જે બાદ 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે.રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પ્રભુની પધરામણી થશે. જે બાદ ભક્તજનો રાત્રે 2-30 વાગ્યા સુધી બાળગોપાલના દર્શન કરી શકશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">