ગુજરાત અને રાજસ્થાનમાં દુકાળના એંધાણ, ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટની આગાહી

સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઇ માટે 97 ટકા વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. જેની સામે જૂન અને જુલાઇમાં LPAની 110 ટકા અને 93 ટકા વરસાદ થયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 12:50 PM

આ વખતે ગુજરાતને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. હવામાનની આગાહી આપતી ખાનગી કંપની સ્કાઈમેટે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં આ વર્ષે દુકાળની આશંકા વ્યક્ત કરી છે. સ્કાઈમેટની આગાહી પ્રમાણે, આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. ચોમાસાની ભૌગોલિક અસરની વાત કરીએ તો, ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વોત્તર ભારતમાં હવે પછી પણ વરસાદ ઓછો રહેવાની આગાહી છે. તો ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુકાળની આશંકા છે. એટલે કે દેશના કેન્દ્રીય ભાગોમાં પાક આ વર્ષે નબળો રહેવાની આશંકા સેવાયેલી છે. જો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્યથી વધારે રહેશે.

સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઇ માટે 97 ટકા વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. જેની સામે જૂન અને જુલાઇમાં LPAની 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કાઈમેટે હવામાનની આગાહીમાં ફેરફાર કરીને LPAને 94 ટકા કરી દીધું છે. મહિના પ્રમાણે જોઇએ તો ઓગસ્ટમાં LPAની સરખામણીમાં 80 ટકા વરસાદ થઇ શકે છે. જ્યારે સપ્ટેમ્બરમાં LPAની સરખામણીએ 20 ટકા વરસાદ સામાન્યથી પણ ઓછો થઇ શકે છે. મહત્વનું છે કે, LPA એટલે કે લાંબા સમયગાળામાં વરસાદનું સરેરાશ.

મહત્વનું છે કે, આ પહેલા સ્કાઈમેટે 13 એપ્રિલ 2021એ દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી આપી હતી. સ્કાઈમેટના કહેવા પ્રમાણે, ‘ચોમાસું નબળું રહેવાનું કારણ હિંદ મહાસાગરમાં દ્વિધ્રુવના લાંબા 5 તબક્કા અને જુલાઇ-ઓગસ્ટમાં તેમાં ફેરફાર ન થવાનું હોય શકે છે. હવે જોવું રહ્યું કે આ આગાહી કેટલી સાચી નિવડે છે.

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">