Surendranagar : પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ, 40 બાળકોને ઝાડા,ઉલ્ટીની અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયું
પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી (Water) ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.
Surendranagar News : લીંબડી તાલુકાના (Limbadi Taluka) ભથાણ ગામે 40 બાળકોને ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો સામે આવ્યા છે.ભથાણ ગામે પીવાના પાણીના પંપમાં પ્રદુષિત પાણી ભળતા ગામમાં રોગચાળો (Epidemic) વકર્યો છે.પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.જો કે એકસાથે ભથાણ ગામમાં 40 બાળકોને ઝાડા ઉલ્ટી કમળાના કેસો સામે આવતા તંત્ર થયુ દોડતુ થયુ છે.જો કે આ અંગે જાણ થતા જ મામલતદાર, પાણી પુરવઠા ઇજનેર, આરોગ્ય ખાતુ ભથાણ પહોંચી તપાસ હાથ ધરી હતી.આરોગ્ય ટીમે હાલ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં(Primary Health Center) આ બાળકોની સારવાર શરૂ કરી છે.
રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી
તમને જણાવી દઈએ કે,સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહિશોને રોડ, રસ્તા, પાણી(Water) સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ આ પહેલા પણ શહેરના અમુક વોર્ડમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડમાં દુષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવતાં સ્થાનિક રહિશોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે.
નવી પાણીની લાઈન લાખોના ખર્ચે નાંખવામાં તો આવી છે, પરંતુ કયારેય આ લાઈનમાં પાણી આવ્યું નથી,તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.ત્યારે એક તરફ આકરી ગરમી અને બીજી તરફ આ પ્રાકરે પ્રદુષિત પાણીને કારણે ફાટી નીકળેલ રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.