ધોરાજી: પશુઓને લમ્પીથી બચાવવા રસીકરણની માંગ

રાજકોટના ધોરાજી  (Dhoraji) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી (Lumpy virous) વાયરસે કહેર મચાવ્યો છે. ધોરાજીના નાની મારડ ગામમાં એક સાથે 15 ગાયોમાં લમ્પીનું સંક્રમણ જોવા મળ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 10:13 PM

રાજકોટના ધોરાજી  (Dhoraji) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી (Lumpy virous) વાયરસે કહેર મચાવ્યો છે. ધોરાજીના નાની મારડ ગામમાં એક સાથે 15 ગાયોમાં લમ્પીનું સંક્રમણ જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે લમ્પીનો પગપેસારો થતાં પશુપાલકો ચિંતિત બન્યા છે. લમ્પીને નાથવા સરકાર તાત્કાલિક રસીકરણની કામગીરી શરૂ કરે તેવી માંગ પશુપાલકોએ કરી છે. તો બીજી તરફ ઉપલેટામાં થોડા દિવસ અગાઉ ગૌ સેવકોએ  ગાયોને સુરક્ષિત કરવા  800  જેટલી ગાયને રસી (Vaccine) આપી હતી. રાજકોટના ઉપલેટામાં વડચોક ગૌશાળામાં ગૌસેવકોએ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપવા અનોખી પહેલ હાથ ધરી છે. ગૌશાળાના સંચાલકોએ લમ્પી વાયરસ (Lumpy Virus) સામે ગાયોને રક્ષણ આપવા 800 જેટલી ગાયોને રસી અપાવી છે.

સંચાલકોએ સ્વખર્ચે ગાયોને વેક્સિન (Vaccine) અપાવવાની કામગીરી કરી છે. હાલ રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં પશુઓ બિમાર થઈ રહ્યા છે અને કેટલાક પશુઓના મોત પણ થયા છે. આ વાયરસને કારણે ગાયોની દૂધ આપવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગામોમાં લમ્પીના કેસ વધી રહ્યા છે, જેમાં જામનગરમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે જામનગરમાં પણ ગાયોનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

વડચૌક ગૌશાળામાં 800 ગાયને અપાઈ રસી

ઉપલેટામાં 8થી 10 ગૌસેવકોની ટીમ આ રસીકરણ અભિયાનમાં જોડાઈ છે. પશુ પ્રેમી પિયુષ માકડિયાના જણાવ્યા મુજબ તેઓ સ્વખર્ચે આ કામગીરી કરી રહ્યા છે અને એક દિવસમાં 350થી વધુ ગાયોને રસી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ અનેક શહેરો લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા છે. ત્યારે પશુધન સુરક્ષિત રહે તે માટે પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યમાં જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, કચ્છ, પાટણ  સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે.  આ તરફ જામનગરમાં સૌથી વધુ કેસ સામે આવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ સૌરાષ્ટ્રના બે જિલ્લાની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેણે દરેડ ગૌશાળાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">