Shamlaji માં જન્માષ્ટમી પર્વને લઇને દર્શન માટે ભક્તોની ભારે ભીડ
જન્માષ્ટમી( Janmashtmi 2022) પર્વને લઇને દર્શન માટે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ મંદિર દ્વારા પણ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે મંદિરમાં શામાળીયાની શણગાર આરતી પણ યોજાઈ હતી
ગુજરાતમાં (Gujarat) શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના(Janmashtmi 2022) પાવન પર્વે ભક્તો કૃષ્ણમય બન્યા છે. જેમાં અરવલ્લીના શામળાજી મંદિરમાં(Shamlaji) કાળીયા ઠાકોરને સોનાના આભૂષણોમાં મુગુટ અને સોનાની વાંસળી સહીતનો શણગાર કરવામાં આવ્યો હતો. જો કે જન્માષ્ટમી પર્વને લઇને દર્શન માટે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ મંદિર દ્વારા પણ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે મંદિરમાં શામાળીયાની શણગાર આરતી પણ યોજાઈ હતી.મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. જેમાં શામળાજી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વહેલી સવારથી કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું..મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવવા મંદિરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું છે.
તો બીજીતરફ શામળાજી મંદિર પરિસરમાં વિવિધ સેવાભાવી લોકો અને સંસ્થાઓ તરફથી સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે ચ્હા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.