Cyclone Tauktae Updates: અમરેલી પંથકમાં વાવાઝોડાની અસર તળે ભારે પવન સાથે વરસાદ

અમરેલીમાં તાઉતે વાવાઝોડાને પગલે પવનની તિવ્રતા વધુ છે. કુંકાવાવ ગામે પવનના જોરદાર સુસવાટા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.

| Updated on: May 18, 2021 | 7:40 AM

અમરેલીમાં તાઉતે વાવાઝોડાને પગલે પવનની તિવ્રતા વધુ છે. કુંકાવાવ ગામે પવનના જોરદાર સુસવાટા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વડિયામા વિજળી ગુલ છે. જાફરાબાદમાં તાઉ તે વાવાઝોડાની તોફાની અસર દેખાવા લાગી છે. જાફરબાદ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

અરબી સમુદ્રમા ઉદભવેલા તાઉ તે વાવાઝોડુ 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ છે. દીવ- ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે વાવાઝોડુ ટકરાયુ ત્યારે પવનની ઝડપ 150 થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. તાઉ તે વાવાઝોડુ ત્રાટક્યાના બે થી અઢી કલાક સુધી તોફાની પવન ફુકાયો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ તાઉ તે વાવાઝોડુ રાત્રીના 8 વાગ્યા બાદ ગીર સોમનાથ જિલ્લો અને દિવ પાસે ટકરાયુ છે. સીર સોમનાથ જિલ્લામાં ફુકાયેલા પવનની ઝડપ અલગ અલગ નોંધાઈ છે. તાઉ તે પૂરી તાકાત સાથે ટકરાયુ ત્યારે કોડીનારમાં ફુકાતા પવનની ઝડપ 129 કિલોમીટર નોંધાઈ હતી.

બીજી બાજુ જિલ્લાના ગીર ગઢડામાં સુસવાટા મારતા પવનની ઝડપ 119 કિલોમીટરની નોંધાઈ છે. સૌથી વધુ ઝડપ દિવ ખાતે 150થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. ગીરસોમનાથ જિલ્લાના અન્ય તાલુકાઓમાં 70 કિલોમીટરથી વધુ પવનની ઝડપ નોંધાઈ છે.

વાવાઝોડુ તાઉ તે ટકરાતાની સાથે જ ભારે પવન અને તોફાની વરસાદને પગલે, ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામમાં અંધારપટ ફેલાઈ જવા પામ્યો છે. સોમનાથ હાઈવે ઉપર અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. તો સૌથી વધુ નુકસાન દિવ અને કોડીનાર બાજુ થયાની પ્રાથમિક વિગતો સાપડી છે. ભારે સુસવાટા મારતા પવનને કારણે, ભયનો માહોલ સર્જાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">