દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ, રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કુલ 11 કેસો સામે આવ્યાં

રાજકોટ શહેરના શારદાનગર અને હરીનગરમાં કોરોનાના કેસ નોંધાયા છે. ચારેયમાંથી કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો સૌરાષ્ટ્રમાં કોરોનાના એક સાથે 11 કેસ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 1:44 PM

RAJKOT : દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 4 કેસ આવ્યા. રાજકોટ શહેરના શારદાનગર અને હરીનગરમાં કોરોનાના કેસ નોંધાયા છે. ચારેયમાંથી કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો સૌરાષ્ટ્રમાં કોરોનાના એક સાથે 11 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 4 ,જૂનાગઢ શહેરમાં 3 અને ગ્રામ્યમાં 2 જ્યારે ભાવનગરમાં 2 કેસ સામે આવ્યા છે. તો આ સાથે રાજકોટ શહેરમાં 5 ,ગીર સોમનાથમાં 2 અમે 7 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે 8 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,764 થઈછે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,457 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 217 પર પહોચી છે. તો આજે રાજ્યમાં કુલ 3,92,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ

આ પણ વાંચો : IND vs NAM: રિષભ પંતનો પગ આકસ્મિક રીતે બેટ્સમેનના બેટ સાથે અથડાયો, પંતે જે કર્યું ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">