રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા

રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8 લાખ 26 હજાર 826 થઇ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:14 PM

GUJARAT CORONA UPDATE : દિવાળી બાદ રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 14 થી 25 આસપાસ નોંધાતા નવા કેસોમાં આજે 10 નવેમ્બરે છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8 લાખ 26 હજાર 826 થઇ છે અને મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 અને અત્યાર સુધીમાં કુલ 8,16, 521 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ 215 થયા છે.

રાજ્યમાં આજે મહાનગરોમાં નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ સુરત શહેર અને વલસાડ જિલ્લામાં 5-5 નવા કેસ, વડોદરા શહેરમાં 4 નવા કેસ, રાજકોટ શહેર, જુનાગઢ અને મોરબીમાં 2-2 કેસ જામનગર શહેર તેમજ આણંદ, ભરૂચ , ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે.

રસીકરણની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4 લાખ 09 હજાર 727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 16,421 લોકોને રસી અપાઇ…તો વડોદરામાં 5960, રાજકોટમાં 4585 લોકોનું રસીકરણ કરાયું…જ્યારે સુરતમાં 25748, દાહોદમાં 29,294 અને આણંદમાં 26,698 લોકોને રસીના ડોઝ અપાયા.રાજ્યમાં અત્યાર સુધી કુલ 7 કરોડ 28 લાખ 73 હજાર 785 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું “અન્યાયનો જવાબ લઈને રહીશુ”

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

 

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">