ગુજરાતના સીએમ રૂપાણીનો પ્રહાર, કહ્યું કોંગ્રેસ વિકાસ વિરોધી પાર્ટી
કોંગ્રેસ વિકાસનો વિરોધ કરતી હોવાના લીધે લોકો હવે તેમને ગુજરાત વિરોધી ગણે છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા થઈ છે જેના લીધે તે પ્રજાની વચ્ચે નથી જઇ શકતા.
ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના જન સુખાકારી દિવસના મુખ્ય સમારોહમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિકાસનો વિરોધ કરતી હોવાના લીધે લોકો હવે તેમને ગુજરાત વિરોધી ગણે છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા થઈ છે જેના લીધે તે પ્રજાની વચ્ચે નથી જઇ શકતા. સીએમ રૂપાણીએ કહ્યું કોંગ્રેસના રાજમાં તિજોરીમાં કાંણા હતા જ્યારે આજે સરકાર પાસે નાણાં છે જેનાથી વિકાસ કાર્યો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : Indian Railways : ટ્રેનમાં હવે નહીં મળે વાઇફાઇ સુવિધાનો લાભ, રેલવે મંત્રીએ આપી જાણકારી
આ પણ વાંચો : પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો
Latest Videos
Latest News