Navsari: સરકારી અનાજની કાળાબજારી? બીલ વિનાના 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ
નવસારીથી સરકારી અનાજની કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. જ્યાં ગોડાઉનમાં સંતાડાયેલા ઘઉં અને 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ હતી.
નવસારીથી સરકારી અનાજની કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામે ખાનગી ગોડાઉનમાં બિલ વિનાના ઘઉંનો ટનબંધ જથ્થો પૂરવઠા વિભાગે સીઝ કર્યો છે. કાવડેજના ગોડાઉનમાં સંતાડાયેલા ઘઉં અને 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ હતી. ઘઉંનો ટનબંધ જથ્થો તપાસમાં લેવાયાની સાથે જ ગોડાઉન ખાતેથી રવાના થયેલી બે ટ્રક પૂરવઠા વિભાગે સીઝ કરી છે. એક ટ્રક વાંસદા ગોડાઉન પાસેથી, જ્યારે બીજી નેશનલ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવી છે. આ ઘટનાને પગલે ગોડાઉન માલિક દ્વારા ઘઉંની મોટાપાયે કાળાબજારી થતી હોવાની શંકા ઘેરી બની છે. પૂરવઠા મામલતદારે ટ્રકમાં ભરેલા 42 ટન ઘઉંના જથ્થા અંગે તપાસ શરૂ કરી હતી.
સમગ્ર ઘટના સામે આવી છે તેમાં મહત્વનું છે કે જાગૃત નાગરિકોને દાણ અને ખાતરની બોરીમાં ઘઉં ભર્યા હોય તેવી શંકા ગઈ હતી. અને ખાતરની બોરીમાં ભરેલા ઘણું જોઇને તેની શંકા વધુ ગાઢ બની. છેવટે તેમણે પૂરવઠા મામલતદાર તેમજ પોલીસને જાણ કરી હતી. અને તંત્રએ તપાસનો દોર શરૂ થયો હતો.
જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યાં નવસારી જિલ્લામાં અનાજના કાળાબજારની વાત સામે આવી હોય. ગરીબોને અપાતા સરકારી અનાજની કાળાબજારીની અનેક ઘટનાઓ આજ સુધી બની છે. તેમ છતાં હજુ પણ આવા ગુનાહિત કૃત્યો અને કાળાબજારી ધમધમે છે.
આ પણ વાંચો: ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ થતા ખેડૂતોમાં રોષ, 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ