ગુજરાત સહીત દેશના 11 રાજ્યોમાં ડેન્ગ્યુનો ભરડો, જાણો રાજ્યમાં ડેન્ગ્યુના કેટલા કેસો નોંધાયા
ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ અને વાઈરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે.
દેશના 11 રાજ્યોમાં કોરોના મહામારીની સાથે ડેન્ગ્યુ (Dengue)ના ભયજનક સ્વરૂપ સિરોટાઈપ-2 (Serotype-2)ના કેસો વધ્યા છે…ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ અને વાઈરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે, તો ગુજરાતમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં 110 ટકાનો વધારો નોંધાયો છે.
આ 11 રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર ગુજરાત સહીત દેશના રાજ્યોમાં વધી રહ્યાં છે ડેન્ગ્યુના કેસો આન્ધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણા.
ડેન્ગ્યુના લક્ષણો ડેન્ગ્યુના લક્ષણોમાં એકદમ હાઇગ્રેડ તાવ આવવો, માથું દુખવું, આખો દુખવી, સ્નાયુ અને હાડકાનો દુઃખાવો, ઉબકા, ઉલટી, ચામડી ઉપર લાલ ઝીણા ચાઠાં પડવા, મુખ્યત્વે જોવા મળે છે.
રાજ્યમાં ડેન્ગ્યુની સ્થિતિ રાજ્યમાં અમદાવાદ, જામનગર, રાજકોટ, અને વડોદરોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસોને કારણે રાજ્યની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, ત્યારે મચ્છરજ્ન્ય રોગોને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ડેન્ગ્યુના કેસોના ઝડપી નિદાન, ફિવર હેલ્પ લાઈન, પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કિટનો સંગ્રહ, લારવાનો નાશ કરતી દવાઓ અને સારવાર માટેની દવાઓના સંગ્રહ જેવા જરૂરી પગલાં લેવા સુચના આપી છે.
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામગીરી રાજ્યમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને આજે 19 સપ્ટેમ્બરે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારોમાં વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ખાસ ઝુંબેશ રૂપે હાઉસ-ટુ-હાઉસ ફિવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આજે 20 સપ્ટેમ્બરે અમદાવાદ જિલ્લામાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વરસાદી સિઝનમાં પોતાને તથા પરિવારને #dengue થી બચાવવા માટે થોડી સાવચેતીઓ રાખો, પોતે સ્વસ્થ રહો અને પરિવારને પણ સ્વસ્થ રાખો@MoHFW_INDIA @AyushmanNHA @pkumarias @JpShivahare @RemyaMohanIAS @VMCVadodara @AmdavadAMC @CommissionerSMC @smartcityrajkot pic.twitter.com/jFunl1M7ge
— NHM Gujarat (@NHMGujarat) September 19, 2021
આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું