Ahmedabad: શહેરમાં સ્વાઇન ફ્લૂના સતત વધી રહ્યા છે કેસ, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 14 દર્દીઓ સારવાર હેઠળ

થોડા દિવસ પહેલા અમદાવાદની (Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે હતુ. હવે 14 દર્દીઓ સ્વાઇન ફ્લૂની (Swine flu) સારવાર હેઠળ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:01 AM

ગુજરાતમાં (Gujarat) કોરોના સહિતના અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 14 કેસ નોંધાયા છે. શહેરની ખાનગી અને સરકારી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 14 દર્દીઓ હાલ સારવાર લઇ રહેલા છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. કારણકે થોડા દિવસ પહેલા અમદાવાદ સોલા સિવિલમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ હતુ.

કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના 14 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરની પાંચ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના 14 દર્દી સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક-એક દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 1 દર્દીની તબિયત ગંભીર થતા બાયપેપ ઉપર મુકવામાં આવ્યા છે. અગાઉ પણ એક દર્દીનું મોત થયું હતું અને શહેરમાં વધુ કેસ છે પરંતુ ટેસ્ટિંગના અભાવે જાહેર થતા નથી.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">