Gujarat Assembly Election : BTP ના ગઢમાં ગાબડુ પાડવા ભાજપની મથામણ, શું પાટીલના પ્રયાસોથી રીઝશે આદિવાસી મતદાતા ?
પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી આર પાટીલે (C R Paatil) કાર્યકરોને બે વિધાનસભા બેઠક ઉપર 50 હજારથી મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને આકર્ષવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.એવા સમયે ભાજપ પણ આદિવાસી મતદાતાઓને રીઝવવા સંપૂર્ણ જોર લગાવી રહી છે.નર્મદાની મુલાકાતે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (CR Paatil) ‘વન ડે વન ડિસ્ટ્રિક્ટ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે
ત્યારબાદ પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી આર પાટીલે કાર્યકરોને બે વિધાનસભા બેઠકમાં 50 હજારથી મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું. સાથે જ તેમણે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પર કટાક્ષ કરતા કહ્યું, આ વિશાળ રેલીને જોઈને ભાજપ સામે લડવા માટે કોઈ ઉમેદવાર ઉભા નહીં રહે. જો ડિપોઝિટ ગુમાવવા માટે લડશે નહીં તો ભાજપમાં જોડાઈ જશે. મહત્વનું છે કે આદિવાસી મતો અંકે કરવા સી.આર.પાટીલે પોતે જ મોરચો સંભાળ્યો છે. નર્મદા (Narmada) જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે અને વર્ષોથી આ વિસ્તારની બેઠક પર BTPનો કબજો છે, ત્યારે 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપ હાલ આદિવાસી બેઠકો પર ભાજપની નજર છે.તમને જણાવી દઈએ કે, તાપી, સુરત, વડોદરા બાદ નર્મદા જિલ્લામાં પણ પાટીલ મુલાકાત કરશે.