Rajkot : BJP આગેવાનની દાદાગીરી ! PGVCL ના ડેપ્યુટી એન્જિનિયર પર કર્યો હુમલો

વીજ ચેકિંગ દરમિયાન PGVCLના એન્જિનિયરને ભાજપના (BJP) આગેવાને હુમલો કર્યો હતો,જે બાદ તેને શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 12:22 PM

Rajkot News : પડધરીના મોવિયા ગામે ભાજપના આગેવાનની દાદાગીરી સામે આવી છે. BJP આગેવાન ધીરુભાઈ તળપદાએ (Dhirubhai Talpada)  પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર (PGVCL DY Engineer)  પરહુમલો કર્યો હોવાના સમચાર મળી રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા એન્જિનિયરને હાલ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વીજ ચેકિંગ દરમિયાન PGVCLના એન્જિનિયરને ભાજપના આગેવાને લાફા માર્યા હતા. PGVCLના એન્જીનીયર પુરોહિત પર હુમલો કરવામાં આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ દરમિયાન તેણે આ હુમલો કર્યો હતો.

PGVCLના એન્જીનીયર પુરોહિત પર હુમલો કરવામાં આવ્યો

આ પહેલા મોરબીના(Morbi)  વાંકાનેરમાં ભાજપના આગેવાનની અને પૂર્વ પાલિકા પ્રમુખની દાદાગીરી સામે આવી હતી. જીતુ સોમાણીએ વાંકાનેરે સિવિલ સુપ્રીટેન્ડેન્ટને લાફા માર્યા હતો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખની કરતૂત જોવા મળી હતી. વૃદ્ધોને ઉંમર માટે કાઢી આપવામાં આવતા પેન્શન સર્ટીફિકેટ બાબતે જીતુ સોમાણીએ ફોન કરતા મામલો ગરમાયો હતો.

જે બાદ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર ગોસાઈએ જીતુ સોમાણીને કામગીરીમાં હસ્તક્ષેપ ન કરો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને લાફો ઝીંક્યો હતો. જો કે આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જીતુ સોમાણી (Jitu Somani) સામે ફરિયાદ નોંધાવી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">