કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટના વિરોધમાં સ્થાનિકોમાં આગ ભભૂકી ઉઠી છે. માથેથી છત અને રહેવાની જગ્યા છીનવાઈ જવાના ડરમાં રસ્તા પર લોકો વિરોધ કરવા નીકળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:30 PM

ભાવનગરમાં કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ વિવાદ ઉભો થયો છે. પ્રોજેક્ટ પૂરો કરવા માટે કંસારાના કાંઠે રહેતા હજારો લોકોના મકાનો દૂર કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશને 1500 મકાન માલિકોને નોટિસ આપીને મકાન ખાલી કરવા જણાવાયું છે. અને 1 હજાર લોકોને નોટિસ આપવાની હજુ બાકી છે. ત્યારે મકાનમાલિકોમાં કોર્પોરેશનના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ મોતી બાગથી કોર્પોરેશન સુધી રેલી યોજીને સત્તાધીસોના નિર્ણયનો વિરોધ કર્યો છે. લોકોની એકજ માગણી છે કે પહેલા ગરીબોના મકાનનો વિકલ્પ શોધીને અસરગ્રસ્તો સાથે મીટિંગ કરવામાં આવે.

ભાવનગર મહાનગપાલિકાનો કંસારા શુદ્ધિકરણ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઇને બહૂ મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના લોકોની પણ માંગ વર્ષોથી છે કે આ કંસારાનું ડેવલોપમેન્ટ થાય. ભાજપ છેલ્લી છ ચુંટણીઓમાં કંસારાના શુદ્ધિકરણ કરશે તેવા વાયદાઓ કરે છે. અને મનપાની સત્તા હાંસલ કરે છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત 1500 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં વૈકલ્પિક સુવિધાની જોગવાઈ નથી. આ પ્રોજેક્ટના કારણે પરિણામે સેંકડો રહેણાંકી મકાન ધરાવનારા ઘરબાર વગરના થશે. જેના કારણે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

 

આ પણ વાંચો: Rajkot: જ્ઞાન કે ડીગ્રી વગર ધમધોકાર ચલાવતો હતો ડુપ્લિકેટ લેબોરેટરી, SOG એ આ રીતે પકડ્યો આરોપીને

આ પણ વાંચો: ભાવનગરના મેથળા ગામના ખેડૂતોની મહેનત ગઇ પાણીમાં, 13 ગામના ખેડૂતોએ જાત મહેનતે બનાવેલા બંધારામાં ગાબડું પડયું

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">