AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : અસહ્ય મોંઘવારીને માત આપવા ભગવાનની શરણ, આશીર્વાદ માટે ઇજા પણ વહોરી, જુઓ Video

Bharuch : અસહ્ય મોંઘવારીને માત આપવા ભગવાનની શરણ, આશીર્વાદ માટે ઇજા પણ વહોરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 12:51 PM
Share

Bharuch : હાલના સમયમાં મોંઘવારી(Inflation)એ માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થો સહીત વસ્તુઓની કિંમત સામાન્ય માણસને કમરતોડ ફટકો મારી રહી છે. મોંઘવારી અસહ્ય બની રહી છે. મુશ્કેલીના સમયમાં ઈશ્વર તરફ હમેશા માનવી હાથ લંબાવતો હોય છે. દેવામુક્ત બનવા ભરૂચમાં અનોખો ટુચકો અજમાવાય છે.લોકોને આ માટે ઈજાઓ પણ પહોંચે છે પરંતુ અતૂટ શ્રદ્ધા સાથે વ્યક્તિ સારા સમય માટે કુદરતને પ્રાર્થના કરે છે. 

Bharuch : હાલના સમયમાં મોંઘવારી(Inflation)એ માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થો સહીત વસ્તુઓની કિંમત સામાન્ય માણસને કમરતોડ ફટકો મારી રહી છે. મોંઘવારી અસહ્ય બની રહી છે. મુશ્કેલીના સમયમાં ઈશ્વર તરફ હમેશા માનવી હાથ લંબાવતો હોય છે. દેવામુક્ત બનવા ભરૂચમાં અનોખો ટુચકો અજમાવાય છે.લોકોને આ માટે ઈજાઓ પણ પહોંચે છે પરંતુ અતૂટ શ્રદ્ધા સાથે વ્યક્તિ સારા સમય માટે કુદરતને પ્રાર્થના કરે છે.

આર્થિક તંગી દૂર કરવા સાથે દેવામાંથી મુક્ત થવા અને અખૂટ ધન પ્રાપ્તિ માટે ભરૂચમાં આવેલા સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા અનુસરવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આથી ભીંસમાંથી રાહત માટે અને ધન પ્રાપ્તિ હાંસલ કરવા એક અનોખો ટુચકો અજમાવે છે. મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષની છાલ નખથી ઉતારવામાં આવે છે. આ વૃક્ષની છાલ સખ્ત હોય છે જેના કારણે ઈજાઓ પણ પહોંચે છે છતાં આ છાલ ઉતારી ઉતારી માતાજીને અર્પણ કરનાર દેવા મુક્ત બનતા હોવાની માન્યતાને અનેક લોકોએ અનુસરી હતી.

આ પણ વાંચો : Bharuch : ગુજરાતમાં નથી અટકી રહ્યો શ્વાનના જીવલેણ હુમલાનો સિલસિલો, 6 વર્ષના બાળકને લોહીલુહાણ કર્યું

ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. ભરૂચ શહેરમાં સિવિલ રોડ પર આવેલા સિંધવાઇ માતાના મંદિરના પટાંગણમાં સમી વૃક્ષ આવેલું છે. આ વિશાલ વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાની પ્રથા છે.  દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે અનેક લોકો નસીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.

સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 25, 2023 12:46 PM
g clip-path="url(#clip0_868_265)">