Bharuch : અંકલેશ્વરના પાર્થનો બિમારી સામે જંગ, ગુજરાતમાં SMA બિમારીનો ત્રીજો કેસ

અંકલેશ્વરના પાર્થને આ ગંભીર બિમારી સામે લડવા 16 કરોડ રૂપિયાના મોંઘાડાટ ઈન્જેક્શનની જરૂર છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા પાર્થના માતા-પિતાએ પાર્થના ઈલાજ માટે મદદની ગુહાર લગાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 10:02 AM

Bharuch : મહીસાગર જિલ્લાના ધૈર્યરાજ અને ગીર સોમનાથ જિલ્લાના વિવાન બાદ હવે અંકલેશ્વરના 3 મહિનાના પાર્થને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA- 1 નામની ગંભીર બિમારી સામે આવી છે. ગુજરાતમાં SMA- 1 બિમારીનો ત્રીજો કેસ સામે આવ્યો છે. ધૈર્યરાજની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. બાદ ધૈર્યરાજને 16 કરોડનું મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયું હતું.

ધૈર્યરાજ આ બિમારીમાંથી ઉગરી ગયો હતો. પરંતુ વિવાન આ ગંભીર બિમારી સામેની જંગ હારી દુનિયા છોડી ગયો હતો. અંકલેશ્વરના પાર્થને આ ગંભીર બિમારી સામે લડવા 16 કરોડ રૂપિયાના મોંઘાડાટ ઈન્જેક્શનની જરૂર છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા પાર્થના માતા-પિતાએ પાર્થના ઈલાજ માટે મદદની ગુહાર લગાવી છે.

અંકલેશ્વરનો નાનકડો પાર્થ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. માત્ર 3 મહિનાના પાર્થના જન્મ સમયે તમામ ડોક્ટરી રિપોર્ટ નોર્મલ હતા. પરંતુ સમય જતા પાર્થના પગનું હલન-ચલન બંધ થતા તેના પિતા જુગલ પવારે પ્રથમ સ્થાનિક ડોક્ટર બાદ નિષ્ણાત ડોક્ટર પાસે નિદાન કરાવ્યું.

મુંબઈની હિન્દુજા હોસ્પિલમાં નિદાન કરાવતા નાનકડા પાર્થને SMA- 1 બિમારી હોવાનું સામે આવ્યું છે. હાલ પાર્થનો સમગ્ર પરિવાર ચિંતાતૂર છે. કોઈપણ ભોગે પોતાના લાડકવાયાને આ બિમારીથી ઉગારી લેવાના પ્રયાસો કરી રહ્યા છે. પાર્થની બિમારીની સારવાર માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂરીયાત છે. ત્યારે પાર્થના પરિવારે આર્થિક મદદ માટે સરકાર તેમજ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે.

 

આ પણ વાંચો : Surat : ગણપતિ ઉત્સવ ઉજવવા માટે આ વર્ષે આયોજકોએ વધારે રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">