Banaskantha : અંબાજી મંદિર પરીસરમાં વેપારીઓની ઉઘાડી લૂંટ, પ્રસાદ-પૂજાપાની સામ્રગીના દોઢ ગણા ભાવ લેવાય છે
પ્રખ્યાત અંબાજી મંદિર પરીસરમાં આવેલી દુકાનોમાં વેપારીઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. પ્રસાદ અને પૂજાપા જેવી ચીજવસ્તુઓના દોઢથી બે ગણા ભાવ દર્શાવતી પાવતીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Banaskantha: પ્રખ્યાત અંબાજી મંદિર પરીસરમાં આવેલી દુકાનોમાં વેપારીઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. પ્રસાદ અને પૂજાપા જેવી ચીજવસ્તુઓના દોઢથી બે ગણા ભાવ દર્શાવતી પાવતીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે રૂપિયા ન લેવા વેપારીઓને અપીલ કરી છે. આ યુવક ગત 6 ઓગસ્ટના રોજ પરિવાર સાથે અંબાજી મંદિર દર્શન કરવા ગયો હતો ત્યાં 100 રૂપિયાની વસ્તુ હોય તો 150 રૂપિયા વેપારીઓ દ્વારા પડાવવામાં આવતા હતા. વેપારીઓ ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. મંદિર પરિસરમાં વેંચાતી ચીજ-વસ્તુના ભાવમાં સરકાર નિયમન કરે એ જરૂરી બન્યું છે.
Latest Videos
Latest News