Banaskatha: પાલનપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢેર, જન્માષ્ટમી પહેલા ગંદકી સાફ કરવાની ચોમેરથી ઉઠી માગ

Banaskatha: પાલનપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તહેવાર સમયે લોકોને તહેવાર કેવી રીતે ઉજવવા તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારે સહુ કોઈની એક જ માગ છે કે જન્માષ્ટમી પહેલા ઠેર ઠેર ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કરવામાં આવે અને રસ્તા પર ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 4:23 PM

રાજ્યમાં વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાઓની સમસ્યા જોવા મળે છે. જેમાં બનાસકાંઠા (Banaskatha) પણ બાકાત નથી. ખાસ કરીને પાલનપુર (Palanpur)ની હાલત સૌથી વધુ બિસ્માર છે. પાલનપુરના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે લોકો માટે મંદિરે જવુ પણ કપરા ચઢાણ ચડવા જેવુ સાબિત થઈ રહ્યુ છે. નગરપાલિકાની નિષ્ક્રિયતાના પાપે લોકોને રસ્તા પર ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, ખાડાઓ (Potholes) અને તૂટેલા રસ્તાઓ જ નજરે પડે છે. લોકોએ ઘરની બહાર નીકળવુ હોય તો આ તૈયારી સાથે નીકળવુ પડે છે. ટેક્સના પૈસા તેમણે કદાચ આવી સુવિધાઓ માટે જ આપ્યા હશે એવુ સત્તાધિશો અને અધિકારીઓના મનમાં એવુ લાગી રહ્યુ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે લોકો તો ઠીક પણ અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન જગન્નાથને પણ ગંદકી અને રસ્તા પર પડેલા ખાડામાંથી પસાર થવુ પડ્યુ હતુ. લોકોની ફરિયાદ છે કે પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકોને મંદિરે જવા પણ ગંદકીના ઢગ અને ખરાબ રસ્તામાંથી પસાર થવુ પડે છે. લોકોની માગ એ છે કે જન્માષ્ટમીના તહેવાર પહેલા તંત્ર દ્વારા ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને રસ્તા પર પડેલા ખાડાને પુરીને કમસે કમ ચાલવાલાયક બનાવવામાં આવે

જન્માષ્ટમી પહેલા રસ્તાઓ સાફ કરવાની ચોમેરથી ઉઠી માગ

રામજી મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા દરમિયાન ભગવાનના રથને આવા ગંદકીગ્રસ્ત રસ્તામાંથી પસાર ન થવુ પડે અને શોભાયાત્રામાં જોડનારા કોઈપણને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે હેતુથી નગરપાલિકા જેમ બને તેમ જલ્દી રસ્તાઓ સાફ કરે, ગંદકી કરે, અને ખાડાઓ બુરવાની કામગીરી કરે. શોભાયાત્રા પહેલા આ કામગીરી થાય તેવી સહુ નગરજનો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકો જણાવે છે કે હાલ જન્માષ્ટમી નજીક છે, પરંતુ તહેવાર કેવી રીતે ઉજવવા તે મોટો પ્રશ્ન છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ છે.

ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- બનાસકાંઠા

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">