Banaskantha : અંબાજીમાં ધોધમાર વરસાદ, હાઇવે પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

અંબાજીમાં(Ambaji)  ધોધમાર વરસાદ(Rain)વરસ્યો છે . જેમાં હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 4:58 PM

ગુજરાતના બનાસકાંઠાના (Banaskantha) અંબાજીમાં(Ambaji)  ધોધમાર વરસાદ(Rain)વરસ્યો છે . જેમાં હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના અંબાજીમાં મેઘમહેર ખેડૂતો મેઘકહેર બની છે. જેમાં અતિભારે વરસાદના પગલે અનેક ખેતરો બેટમાં ફેરવાતા મગફળીનો પાક નષ્ટ થયો છે..મગફળીનો ઉગેલો પાક વરસાદી પાણીમાં ડૂબી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

જેમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી હતી. જો કે મગફળીનો સારો પાક મળશે તેવી ખેડૂતોની આશા પર હવે પાણી ફરી વળ્યું છે. આકાશી અનરાધાર આફતના કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે..મગફળી, સોયાબીન, બાજરી, કપાસ સહિતનો પાક બળી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત

મહત્વનું છે કે આજે વહેલી સવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે. સવારે 2 કલાકમાં જ દાંતામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના સતલાસણા, સાબરકાંઠાના વડાલીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.

વરસાદનું જોર ઘટશે

રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના હવામાન વિભાગે  આગાહી કરી છે કે વરસાદનું જોર હવે ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પાડશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">