Banaskantha : દસ વર્ષથી માથાનો દુખાવનો બનેલી ડમ્પિંગ સાઇટની સમસ્યા ન ઉકેલાતા વિપક્ષના નેતાની આત્મવિલોપનની ચીમકી

આ ડમ્પિંગ સાઇટને (Dumping site )કારણે  20 સોસાયટીના અંસખ્ય લોકો  મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે ત્યારે  તંત્રએ સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. જો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પછી આકરા પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.  

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 12:40 PM

બનાસકાંઠાના પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ માથાનો દુ:ખાવો બની છે અને આ સમસ્યા નાગરિકોને આજકાલથી નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષથી ત્રાસ આપી રહી છે. છેલ્લા દસ વર્ષથી માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટને લઈ 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. હડતાળ અને ધરણા બાદ સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા પાલિકાના વિપક્ષ નેતાએ આત્મ વિલોપનની ચીમકી આપી છે. પાલનપુર પાલિકાના સત્તાધીશોને વિપક્ષ નેતાએ 40 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો 40 દિવસમાં ડમ્પિંગ સાઈટ પરથી કચરો ખાલી કરવામાં નહીં આવે તો હું આત્મ વિલોપન કરીશ. વધુમાં વિપક્ષ નેતાએ સરકારને સવાલ કરતા કહ્યું ચાર એન્જિનના ડબ્બા ડમ્પિંગ સાઈટનો કચરો કયારે ખાલી કરશે?

આ સમસ્યા  અંગે વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે  જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો આ સમસ્યાથી પીડાય છે અને ગંદકીને કારણે રોગચાળો વકરે છે અને સ્વચ્છતાનું નમોનિશાન નથી રહેતું. આવી પરિસ્થિતિમાં હવે  અહીંથી આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ ડમ્પિંગ સાઇટને કારણે  20 સોસાયટીના અંસખ્ય લોકો  મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે ત્યારે  તંત્રએ સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવો  જોઈએ. જો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પછી આકરા પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ  ડમ્પિંગ સાઇટ એક નાના ડુંગર જેવી  બની ગઈ છે  તેના કારણે  કચરાના ઢગલાથી  નજીક તેમજ દૂરના સ્થળે  હવામાં પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે.  આવી પરિસ્થિતિમાં હવે લોકો ઇચ્છી રહ્યા છેકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">