Banaskantha : ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લું રહેશે, મહામેળાને લઇને હજુ અનિશ્ચિતતા

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે કે કેમ તેને લઈ હજી અનિશ્ચિતતા છે. અંબાજીના કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:31 AM

Banaskantha : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે કે કેમ તેને લઈ હજી અનિશ્ચિતતા છે. અંબાજીના કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જે પણ નિર્ણય સરકાર કરશે તેનું વહીવટી તંત્ર પાલન કરશે. ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લુ રહેશે. અંબાજી મંદિરમાં ભક્તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના કોરોના નિયમોનું કડક પાલન કરીને દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ શક્યો નથી.

આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 13 સપ્ટેમ્બરથી  20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવશે પરંતુ મેળાના આયોજનને લઇને હજું સુધી સરકાર દ્વારા  કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સરકાર દ્વારા હજુ મેળા મામલે કોઇ નિર્ણય ન લેવાતા માંય ભક્તો  નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે. જો કે ભાદરવી પૂનમના મેળાને લઇને હજુ સુધી કોઇ જ તૈયારી શરૂ ન થઇ હોવાથી મેળો નહીં યોજાય તેવા સંકેત સ્પષ્ટ મળી રહ્યાં છે.

ભાદરવી પૂનમના મેળાના લઇને અંબાજી સંઘના પ્રમુખ  અને કલેકટર આનંદ પટેલ સાથે વાતચીત કરવામાં આવી. જો કે તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારી અને થર્ડ વેવની દહેશત વચ્ચે મેળાનું આયોજન કરવું યોગ્ય નથી. પરંતુ આ મામલે આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે, સરકારની જે ગાઇડ લાઇન હશે તે મુજબ આયોજન થશે. ”, ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસનો જ સમય બાકી છે પરંતુ આ મામલે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા ન કરવામાં આવતા મેળા ન યોજાય તેવા સંકેત હાલ તો મળી રહ્યાં છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">