cyclone tauktae ના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 500 કરોડની રાહત પેકેજની જાહેરાત

Agricultural relief package : બાગાયતી પાકના વૃક્ષ ઉખડી ગયા હોય તેવા કિસ્સામા હેકટરદિઠ રૂપિયા એક લાખ, જ્યારે ઝાડ ઊભા હોય પણ પાક ખરી ગયો હોય તેવા કિસ્સામાં બે હેકટર દિઠ રૂપિયા 30,000ની સહાય તેમજ ઉનાળુ કૃષિ પાકોને થયેલા નુકસાન અંગે વધુમા વધુ બે હેક્ટરની મર્યાદામાં, હેક્ટર દિઠ રૂ. 20,000ની સહાય અપાશે.

| Updated on: May 26, 2021 | 10:11 PM

cyclone tauktae થી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મૂળ સહીત બાગાયતી પાકના વૃક્ષ ઉખડી ગયા હોય તેવા કિસ્સામા હેકટરદિઠ રૂપિયા એક લાખ, જ્યારે ઝાડ ઊભા હોય પણ પાક ખરી ગયો હોય તેવા કિસ્સામાં બે હેકટર દિઠ રૂપિયા 30,000ની સહાય તેમજ ઉનાળુ કૃષિ પાકોને થયેલા નુકસાન અંગે વધુમા વધુ બે હેક્ટરની મર્યાદામાં, હેક્ટર દિઠ રૂ. 20,000ની સહાય આપવાનુ નક્કી કરાયુ છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, તાઉ તે વાવાઝોડાગ્રસ્ત ( cyclone tauktae ) વિસ્તારમાં નુકસાન થયેલા ખેડૂતોને રાહત પેકેજના નાણા, એક સપ્તાહમાં તેમના બેંક ખાતામાં સીધા જમા કરી દેવામાં આવશે. ઉનાળુ પિયત પાક, બાગાયત પાકને 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તેમને આ કૃષિ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં પુરો થઈ જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમા ગત સપ્તાહે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિ કલાકે 220 કિ.મી. ઝડપે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એમ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ હતી. આની સાથોસાથ રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયુ હતું.

તા. 17મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉ’તે વાવાઝોડું કલાકના 220 કિ.મી.ની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતની મધ્યમાથી પસાર થઈને 18મી મે એ રાજસ્થાન તરફ ગયુ હતું. આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન કર્યું.

વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે.

ગુજરાત સરકારે, તાઉ તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાઉ બાગાયતી વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કે પછી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂપિયા એક લાખની સહાય આપવાનું જાહેર કર્યું છે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં આ સહાય  આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

 

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">