Junagadh: અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એકવાર જાહેરાત,મહિલાઓના ખાતામાં 1000 જમા કરીશું

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના(Gujarat Assembly Election 2022) પગલે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. જેમાં જૂનાગઢ (Junagadh) અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એક વાર જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 10:46 PM

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના(Gujarat Assembly Election 2022) પગલે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. જેમાં જૂનાગઢ (Junagadh) અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એક વાર જાહેરાત કરી છે. જેમાં 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં રૂ.1000 જમા કરીશું તેમજ એક જ ઘરની મહિલાઓને પણ અલગ અલગ રૂપિયા 1000 મળશે.

કેજરીવાલે કર્મચારીઓને 4 વાયદા કર્યા હતા

આ પૂર્વે અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઇ કામદારોને પણ વિવિધ ગેરંટી આપી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો છે. આ દરમ્યાન કેજરીવાલે કર્મચારીઓને 4 વાયદા કર્યા હતા કેજરીવાલે જણાવ્યું કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો હંગામી કર્મચારીઓને કાયમી કરાશે. આ ઉપરાંત સમાન કામ, સમાન વેતનનો નિયમ લાગુ કરવામાં આવશે. તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા નાણા જમા કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો

આ પહેલા અરવિંદ કેજરીવાલે વડોદરામાં પ્રજાને વધુ એક વાયદો કર્યો હતો. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અપીલ કરી હતી.

અરવિંદ કેજરીવાલે ભાજપની ડબલ એન્જિન સરકાર કામ કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે દિલ્લીમાં ભ્રષ્ટાચાર મુદ્દે રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાને બદલે સરકારે દોષિતોને જેલના સળિયા પાછળ નાંખવા જોઈએ. કેન્દ્ર સરકાર પાસે CBI, ED, ઈન્કમ ટેક્સ અને પોલીસ સહિતની એજન્સીઓ છે. તો કામ કરતા કોણ રોકે છે તેવો કટાક્ષ પણ કેજરીવાલે કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે મફતની રાજનીતિ મુદ્દે થતા પ્રહારનો આક્રમક અંદાજમાં વળતો જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યું અમે ઈમાનદારીથી કામ કરતા હોવાથી સરકારના ખુબ રૂપિયા બચાવીએ છીએ અને તે રૂપિયાનો જનતાના હિતમાં ઉપયોગ કરીએ છીએ. અમારો ઈરાદો સારો હોવાથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અમારો વિરોધ કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">