Bharuch Video : Ankleshwarમાં 50 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે, 300 બામ્બુ અને 150 કિલો કાગળમાંથી પૂતળું તૈયાર થશે
Bharuch : ભરૂચ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમો પૈકીનો એક અવસર યોજાય છે. Oil and Natural Gas Corporation - ONGC ના અંકલેશ્વર એસેટ દ્વારા સાડા ચાર દશક ઉપરાંતથી રામલીલાના અંતિમ દિવસે દશેરાએ રાવણ , મેઘનાથ અને કુંભકર્ણના વિશાળ પુતળાઓનું દહન કરવામાં આવશે. વિજયાદશમીના અવસરે ભવ્ય આયોજનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. કાર્યક્રમના અંતે ભવ્ય આતીશબાજી આકર્ષણનું કેન્દ્ર બને છે. નવરાત્રિના 9 દિવસ સુધી માતા ભગવતીની આરાધના કર્યા બાદ 10માં દિવસે એટલે કે દશેરાના દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Bharuch : ભરૂચ જિલ્લામાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમો પૈકીનો એક અવસર અંકલેશ્વર (Ankleshwar)માં યોજાય છે. Oil and Natural Gas Corporation – ONGC ના અંકલેશ્વર એસેટ દ્વારા સાડા ચાર દશક ઉપરાંતથી રામલીલા(Ramleela)ના અંતિમ દિવસે દશેરા(Dussehra)એ રાવણ , મેઘનાથ અને કુંભકર્ણના વિશાળ પુતળાઓનું દહન કરવામાં આવશે. વિજયાદશમી(Vijayadashami)ના અવસરે ભવ્ય આયોજનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. કાર્યક્રમના અંતે ભવ્ય આતીશબાજી આકર્ષણનું કેન્દ્ર બને છે.
નવરાત્રિના 9 દિવસ સુધી માતા ભગવતીની આરાધના કર્યા બાદ 10માં દિવસે એટલે કે દશેરાના દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિજયાદશમીને અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. ત્યારથી દર વર્ષે લોકો અશ્વિન માસના શુક્લ પક્ષની દશમીને દશેરા તરીકે ઉજવે છે.
આ દિવસે રાવણના પૂતળાનું દહન કરીને દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે દેશભરમાં ઘણી જગ્યાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.
અંકલેશ્વરમાં 50 ફૂટના રાવણનું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે આ સાથે મેઘનાથ અને કુંભકર્ણના 47 ફુટ ઊંચા પૂતળા ઉભા કરવામાં આવી રહ્યા છે. 50 દિવસની મહેનતે 300 બામ્બૂઓ અને 8 કવીન્ટલ કાગળની મદદથી આ પૂતળા બનાવવામાં આવ્યા છે. વર્ષ 1977 થી શરૂ કરવામાં આવેલી આ પ્રથા કોરોનાકાળને બાદ કરતાં અવિરત ચાલી રહી છે.
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
