Anand: લોટીયા ભાગોળ નજીક નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ થઈ ધરાશાયી

આણંદના લોટીયા ભાગોળ નજીક વિસ્તારમાં નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ છે. પુલના નિર્માણ કામની વચ્ચે જ બ્રિજની એક દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 9:00 PM

Anand: આણંદના લોટીયા ભાગોળ નજીક વિસ્તારમાં નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ છે. પુલના નિર્માણ કામની વચ્ચે જ બ્રિજની એક દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે, 1 ઓકટોબર સુધીમાં બ્રિજ તૈયાર કરવા જિલ્લા કલેક્ટરે કોન્ટ્રાક્ટરને સુચના આપી હતી. પરંતુ તે પૂર્વે જ ઓવરબ્રિજના કોન્ટ્રાકટરની બેદરકારી ખુલીને સામે આવી છે. નબળી ગુણવત્તા વાળા બ્રિજનું નિર્માણ થયું હોવાનું ખુલ્યું છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં પણ રોષ ભભૂક્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">