Ahmedabad : જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ, બંને પક્ષોએ સામ સામે નોંધાવી ફરિયાદ
અમદાવાદના (Ahmedabad) જુહાપુરામાં 5 ડિસેમ્બરે મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો છે. જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર ઊભા હતા. તે સમયે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદમાં (Ahmedabad) ગઇકાલે જુહાપુરામાં ફરી એક વખત ગેંગવોર જોવા મળી. જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરિંગ થવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અંગત અદાવતમાં નવાબ નામના વ્યક્તિ દ્વારા નઝીર વોરા પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જે મામલે ગઇકાલે એટલે કે 5 ડિસેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી. બંને પક્ષ દ્વારા વેજલપુર પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાઇ હતી.
જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગ
અમદાવાદના જુહાપુરામાં 5 ડિસેમ્બરે મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો છે. જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર ઊભા હતા. તે સમયે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જો કે મળતી માહિતી પ્રમાણે કુખ્યાત નજીર વોરા અને તેમના પુત્ર સહિતના લોકો દ્વારા પણ સામા પક્ષે તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. જો કે સમગ્ર મામલાની જાણ થતા જ ક્રાઇમ બ્રાંચ સહિતના પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઇને મોડી રાત્રે જ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બંને પક્ષોએ સામ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુખ્યાત નઝીર વોરા, તેના પુત્ર તથા મોઇન સામે સામે ફરિયાદ નોંધી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.