Amreli : ધારાસભ્ય વિરજી ઠુંમરે કલેકટરને પત્ર લખી કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનના અભાવે મૃત્યુ પામેલા લોકોની વિગતો માંગી
લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે કલેકટરને પત્ર લખી કોરોનાની બીજી લહેરમાં અમરેલી(Amreli) જિલ્લાના જુદા-જુદા તાલુકાઓ અને શહેરોમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલા લોકોની વિગતો માંગી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજન(Oxygen) ના અભાવે એક પણ મોત ન થયા હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈ લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે કલેકટરને પત્ર લખી કોરોનાની બીજી લહેરમાં અમરેલી(Amreli) જિલ્લાના જુદા-જુદા તાલુકાઓ અને શહેરોમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલા લોકોની વિગતો માંગી છે. એક બાજુ ઑક્સીજન અન્ય દેશોમાંથી મંગાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી બીજુ સરકાર ઑક્સીજનના અભાવે એક પણ મૃત્યુ ન થયું હોવાનું કહી કડવી વાસ્તવિકતા છુપાવવાનું કામ કરી રહ્યાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચો : Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, જાપાનની યામાગુચીને હરાવી સેમિફાઈનલમાં
આ પણ વાંચો : Beauty Tips : જો જો, ચહેરાની સુંદરતા વધારવા માટે વપરાતો મેકઅપ ક્યાંક તમને બદસુરત ન બનાવી દે
Latest Videos
Latest News