AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના મંદિરોમાં અદ્ધિતિય શોભા, વિવિધ પ્રતિમાઓમાં 'શ્રીરામ' નો ભાવ! જુઓ

ગુજરાતના મંદિરોમાં અદ્ધિતિય શોભા, વિવિધ પ્રતિમાઓમાં ‘શ્રીરામ’ નો ભાવ! જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2024 | 7:04 PM
Share

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ ઘડીને લઈ દેશભરમાં જબરદસ્ત માહોલ સર્જાયો હતો. દેશભરમાં શ્રી રામનો નાદ ગુંજી રહ્યો હતો અને સદીઓનું સપનું સાકાર થતુ જોવાના સૌ કોઈ સાક્ષી બન્યા હતા. આજે દરેક મંદિરનો માહોલ એ વાતની સાબિતી આપી રહ્યો હતો કે, આ દિવસ ખાસ છે અને આજની ઘડી રળીયામણી છે.

આજે સમગ્ર દેશમાં શ્રી રામનો જયકાર છે. ત્યારે ગુજરાતના વિવિધ મંદિરોમાં પણ ભગવાનની અદ્ભૂત શોભા જોવા મળી. ડાકોર થી લઈને સોમનાથ સુધી અને વીરપુરથી લઈ અમદાવાદના જગન્નાથ મંદિર સુધી પ્રભુને ના માત્ર અદ્ભૂત શણગાર થયા સાથે જ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે દરેક મંદિરનો માહોલ એ વાતની સાબિતી આપી રહ્યો હતો કે, આ દિવસ ખાસ છે અને આજની ઘડી રળીયામણી છે.

આ પણ વાંચો: શામળિયા ભગવાનને રામ સ્વરુપ સજાવાયા, દેવગદાધરના હાથમાં ધનુષ શોભાવ્યું, જુઓ

ગુજરાતમાં શામળાજી, ડાકોર, સોમનાથ, અમદાવાદ સહિત રાજ્યના તમામ પ્રસિદ્ધ મંદિરોમાં રામ મંદિર મહોત્સવને લઈ ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં ભજનથી લઈને આતશબાજી અને શોભાયાત્રાઓના આયોજન થયા હતા. દેશમાં અને રાજ્યમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 22, 2024 07:04 PM
g clip-path="url(#clip0_868_265)">