Ahmedabad : રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટ સુવિધા શરૂ કરાઇ

અમદાવાદથી(Ahmedabad) પસાર થતી રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ રોકવા જનરલ ટિકિટની સુવિધા બંધ કરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 6:11 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના કપરા કાળમાં ટ્રેનોમાં(Train)  બંધ કરાયેલી જનરલ ટિકિટની(Tickit) સુવિધાનો રેલવે વિભાગે ફરી પ્રારંભ કર્યો છે. જેમાં અમદાવાદથી પસાર થતી રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ રોકવા જનરલ ટિકિટની સુવિધા બંધ કરાઈ હતી. જો કે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ જતા રેલવે વિભાગ તમામ સુવિધાઓ ફરી તબક્કાવાર શરૂ કરશે. અમદાવાદથી જતી હાવરા-ગાંધીધામ અને આસનસોલ-ભાવનગર એક્સપ્રેસમાં 7 જૂલાઈથી જનરલ ટિકિટ મળવા લાગશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવે  દ્વારા મુસાફરોની સુવિધા માટે 25 જોડી ટ્રેનોમાં લિનન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેના આ પ્રતિબંધને પાછો ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા 25 જોડી ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લિનન સુવિધા સુનિશ્ચિત કરવા માટે  (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર મોકલવામાં આવી રહ્યો છે. આ માટે મોટી માત્રામાં નવા લિનન ખરીદી કરવામાં આવી રહી છે. રેલવે આ સેવાને 100 ટકા ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">