Ahmedabad : દશામાના તહેવાર દરમ્યાન લોકોને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા પોલીસની અપીલ
દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ સાબરમતી નદીમાં કે કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પણ સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે. આગામી 8મી ઓગસ્ટથી દશામા(Dasha Maa) ના તહેવારો પ્રારંભ થવાના છે. દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ અમદાવાદ(Ahmedabad) ની સાબરમતી નદીમાં કે કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય. શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિની સ્થાપન અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે તેમજ વ્યક્તિઓ કે ટોળામાં શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિનું વિસર્જન ન કરે એવી અપીલ અમદાવાદ પોલીસ(Police) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Health Tips: જાણો ગુલમોહરના ઝાડના ફાયદા, સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ
આ પણ વાંચો : SURAT : ધોરણ-10 નો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ, સ્કુલને બંધ કરવામાં આવી
Latest Videos
Latest News