Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે

રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:29 PM

Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે. કોરોના દરમિયાન હરવા ફરવાના સ્થળો પર પ્રતિબંધ હતો. આ દરમિયાન પેસેન્જર ક્રુઝ બોટને મેઇન્ટેનન્સ માટે મોકલાઈ હતી જે હવે અમદાવાદ પરત ફરી છે. 20 મિનિટની સવારીનો વ્યક્તિ દીઠ ચાર્જ રૂપિયા 250 રહેશે. 60 વ્યક્તિઓ એક સાથે આ પેસેન્જર ક્રુઝ બોટમાં બેસી શકશે. હાલ કોરોનાની ગાઈડલાઈનને જોતા સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટમાં જેટ સ્કી પણ એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બે વર્ષથી લઇને મોટી ઉંમરના બધા જ વ્યક્તિઓ વોટર સ્પોર્ટસનો આનંદ માણી શકશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">