સાવધાન : Ahmedabad માં પાણીપુરીના ત્રણ સેમ્પલ ફેલ, ગંદુ પાણી વપરાતું હોવાનું ખૂલ્યું

પાણીપુરીમાં સુએજ તેમજ ગટરનું ગંદુ પાણી વપરાતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણી-પુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ કરાતો હતો. આ બેક્ટેરિયાવાળુ ગંદુ પાણી વધારે પેટમાં જાય તો ઝાડા-ઉલટી કે પેટની અન્ય બિમારીઓ થવાનો ખતરો રહેલો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:40 PM

અમદાવાદ આરોગ્ય વિભાગની તપાસમાં પાણીપુરીના 3 સેમ્પલ ફેલ થયા છે. તેથી પાણીપુરી ખાવાના શોખીનએ હવે ચેતી જવાની જરૂર છે. જેમાં લારી કે બજારમાં મળતી ગંદી પાણીપુરી આપને બિમાર પાડી દેશે. આ પાણીપુરી આપને દવાખાને પહોંચાડી શકે છે. પાણીપુરીમાં સુએજ તેમજ ગટરનું ગંદુ પાણી વપરાતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણી-પુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ કરાતો હતો. આ બેક્ટેરિયાવાળુ ગંદુ પાણી વધારે પેટમાં જાય તો ઝાડા-ઉલટી કે પેટની અન્ય બિમારીઓ થવાનો ખતરો રહેલો છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં પાછલા 3 મહિનામાં નોંધપાત્ર કેસ વધ્યા છે. શહેરમાં વરસાદી માહોલ થતાં રોગચાળાના કેસમાં પણ સતત વધારો થયો છે.. પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના ૩૪૪ કેસ, કમળો ૧૮૬ કેસ, ટાઇફોઇડ ૨૭૬ કેસ અને કોલેરા ૩ કેસ છે.

આ તરફ શહેરની હોસ્પિટલોમાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.અહીં ઓપીડીની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતાં પાલિકાના આંકડાઓથી ક્યાંય વધારે કેસ હોવાનો અંદાજ મળી રહ્યો છે..ત્યારે કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં પ્રયાસો વધારે એવું લોકો ઈચ્છી રહ્યા છે..

આ ઉપરાંત શહેરના બોડકદેવ, ગોતા, લાંભા, શાહીબાગ, નવરંગપુરા, જોધપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં મચ્છર જન્ય રોગચાળની અસર વધુ જોવા મળી છે.AMCએ શહેરીજનોને તકેદારી રાખવા ચેતવણી આપી છે. તો શ્રમજીવી પરિવારોને મચ્છરજાળીનો ખાસ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

આ પણ વાંચો : Surat : રોજની 50 કરતા વધુ ફ્લાઇટ છતાં સુરત એરપોર્ટ CISF સુરક્ષાથી વંચિત

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">