નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ, વિવિધ થીમ પર ગરબાની પ્રેક્ટિસ શરૂ
અમદાવાદના નવલખા ગ્રુપ દ્વારા પણ વૅક્સીનને લઈને થીમ પર અનોખી પાઘડી સાથે ડ્રેસિંગ કરવામાં આવ્યું.જેની પર ટોક્યો ઓલમ્પિકમાં ભારતના જાંબાજ ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી
નવરાત્રીને(Navratri)લઈને યુવાનોમાં જોશની(Youth) સાથે જુસ્સો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ઘણા ગરબા ચાહકોને કંઈક યુનિક કરવાની તમન્ના હોય છે. એવી જ રીતે અમદાવાદના(Ahmedabad)નવલખા ગ્રુપ દ્વારા પણ વૅક્સીનને લઈને થીમ પર અનોખી પાઘડી સાથે ડ્રેસિંગ કરવામાં આવ્યું.જેની પર ટોક્યો ઓલમ્પિકમાં ભારતના જાંબાજ ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી
ગુરુવારથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે…લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.જો કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે…આ ઉપરાંત 400 જણાની મર્યાદામાં ગરબા રમી શકાશે.
તેમજ દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે.મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે
આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી
આ પણ વાંચો : ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી એક દંતકથા છે તે ભૂલાય તેમ નથી : કાર્તિકેય ભટ્ટ
આ પણ વાંચો: ગાંધીનગર મનપાના અભિવાદન સમારંભમાં સી. આર. પાટીલે આપ અને કોંગ્રેસ પર કર્યો આ કટાક્ષ